Saturday, December 8, 2018
Saturday, December 1, 2018
આ લિંક ક્લિક કરવાથી દુનિયાનો ગોળો ખૂલશે. તેમાં આખી દુનિયામાં જેટલા રેડિયો સ્ટેશન હશે તે લીલા ટપકાના સ્વરૂપે દેખાશે. ગમે તે ટપકા પર ક્લિક કરશો એટલે જેતે વિસ્તારના રેડિયો કાર્યક્રમ એકદમ ચોખ્ખા સંભળાશે.
આ લિંક ક્લિક કરવાથી દુનિયાનો ગોળો ખૂલશે. તેમાં આખી દુનિયામાં જેટલા રેડિયો સ્ટેશન હશે તે લીલા ટપકાના સ્વરૂપે દેખાશે. ગમે તે ટપકા પર ક્લિક કરશો એટલે જેતે વિસ્તારના રેડિયો કાર્યક્રમ એકદમ ચોખ્ખા સંભળાશે. મસ્ત છે, ટ્રાય ઇટ. http://radio.garden/live
Wednesday, November 28, 2018
🅾પ્રાથમિક શાળા માટે બાળકો તથા શિક્ષકો ની ઑનલાઇન હાજરી પૂરવા માટે સુપર એન્ડ્રોઇડ મોબાઈલ ફોન એપ્લીકેશન
*💥🅾પ્રાથમિક શાળા માટે બાળકો તથા શિક્ષકો ની ઑનલાઇન હાજરી પૂરવા માટે સુપર એન્ડ્રોઇડ મોબાઈલ ફોન એપ્લીકેશન ડાઉનલોડ કરો.*
*આ એપ્લીકેશન થી તમે ઓછા નેટવર્ક મા પણ એન્ટ્રી કરી શકશો.*
*ઇન્સ્ટોલ કરવા માટે*
*તમામ મિત્રો ને મોકલશો
https://play.google.com/store/apps/details?id=com.onlinehajri
Tuesday, November 20, 2018
Monday, November 19, 2018
જૂનાગઢ જિલ્લા નો ઈતિહાસ
*જૂનાગઢ જિલ્લા નો ઈતિહાસ*
🌄👑👉🏻 *જૂનાગઢ જિલ્લો* 👈🏻👑🌄
👨🏻🌾➖ *ગિરનારની* તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક છે.
👩🏻🌾➖ ગુજરાતનું *સાતમું* મોટું શહેર છે.
👨🏻🌾➖ પ્રાચીન કવિ *દયારામે* આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય *રસિકવલ્લભમાં "જીર્ણગઢ"* તરીકે કર્યો છે.
👩🏻🌾➖ જુનાગઢનો સામાન્ય અર્થ *"જૂનો ગઢ"* થાય છે.
👨🏻🌾➖ જુનાગઢનો *૯,નવેમ્બર,૧૯૪૭* ના રોજ ભારત સંઘમાં સમાવેશ થયેલો.
👩🏻🌾➖ સૌથી વધુ *કુવા* અહીં આવેલા છે.
👨🏻🌾➖ *જૂનાગઢ ના અન્ય નામ* 👇🏿
➖ ચંદ્રકેતુપુર
➖ જીર્ણપ્રાકાર
➖ યવનગઢ
➖ નગર
➖ જીર્ણદુર્ગ
➖ જીર્ણગઢ
➖ સુવર્ણ ગિરિનગર
➖ ઉગ્રસેનગઢ
➖ ખેંગારગઢ
➖ મુસ્તફાબાદ
➖ કિલ્લા-એ-ગિરનાર
➖ સાર્વભૌમાનરેન્દ્રપુર
➖ જુનાણું
➖ જુનોગઢ
➖ વાડીઓ નો જિલ્લો
🌄👑👉🏿 *જૂનાગઢ ઇતિહાસ* 👈🏿👑🌄
👨🏻🎓➖જુનાગઢ ના દિવાન *શાહનાવ્ઝ ભુટ્ટો* એ એ જુનાગઢ નું જોડાણ પાકિસ્તાન સાથે કરવાની જાહેરાત કરતા જુનાગઢ ની પ્રજામાં નિરાશા છવાઈ ગઈ હતી અને જેઠાલાલ રૂપાણી અને દયાશંકર દવે એ નવાબ ને જાણ કરી હતી કે જુનાગઢ ની પ્રજા હિન્દુસ્તાન સાથે રહેવા માંગે છે તેમ છતાં ભુટ્ટો એ *૧૫ ઓગસ્ટ ૧૯૪૭* ના દિવસે જુનાગઢ નું જોડાણ પાકિસ્તાન સાથે કરવામાં આવે છે તેવી જાહેરાત કરતા લોકો માં આક્રોશ ફેલાયો હતો.
👨🏻🎓➖જુનાગઢ ની પ્રજા ભારત સાથે રહેવા માંગે છે અને કોઈ પણ સંજોગો માં પાકિસ્તાન સાથે ભળવા માંગતી નથી તેની જાણ ગાંધીજી ને થતા *૨૪ સપ્ટેંબર ૧૯૪૭* ના રોજ દિલ્હી ની પ્રાર્થના સભા માં ગાંધીજી એ જાહેરાત કરી કે જુનાગઢ ભારત માં રહેવું જોઈએ ત્યારે *આરઝી હકુમત* ની સ્થાપના કરવામાં આવી અને *શામળદાસ ગાંધી* ની વરણી કરવમાં આવી અને પ્રધાન મંડળ ની રચના કરવામાં આવી પ્રથમ આરઝી હકૂમતે રાજકોટ આવી જુનાગઢ હાઉસ નો કબજો મેળવ્યો અને નવાબ ને અહી રહેવાનું અશકય લાગતા વાટાઘાટો ના બહને પાકિસ્તાન ચાલ્યા ગયા અને આરઝી હકુમત નું જુનાગઢ માં આગમન થયું .
👨🏻🎓➖આરઝી હકુમત એક પછી એક ગામડા કબજે કરતા ગયા અને લોકો નો સાથ મળતો ગયો *૯ નવેમ્બર ૧૯૪૭* ના રોજ જુનાગઢ આઝાદ થયું છે તેવી જાહેરાત કરવામાં આવી.
👨🏻🎓➖ *૧૩ નવેમ્બર ૧૯૪૭* નારોજ ભારત ના નાયબ વડા પ્રધાન *સરદાર પટેલ* કેશોદ એરોડ્રામ અપર આવ્યા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું ત્યાર બાદ જુનાગઢ આવી *બહાઉદીન કોલેજ* માં જંગી જન મેદની ને સંબોધી જેને પાકિસ્તાન સાથે જવું હોય તે જાય તેવી ગર્જના કરી હતી અને ઉપસ્થિત જન મેદની એ ભારત રહેવાનું પસંદ કરતા જુનાગઢ આઝાદ થયું હતું અને *૧૩ નવેમ્બર* ના રોજ આરઝી હકૂમતે ઉપર કોટ માં ભારત નો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો...
👨🏻🏫 સ્થાપના ➖ *૧૭૩૦*
👨🏻🏫 ભારતમાં વિલિનીકરણ ➖ *૧૯૪૮*
👨🏻🏫 *કુલ વસ્તી* ➖ *ર૪,૪૮,૧૭૩*
♦પુરુષ ➖ *૧૨,પ૨,૩પ૦*
♦સ્ત્રી ➖ *૧૧,૯પ,૮૨૩*
♦ગ્રામ્ય ➖ *૭,૨પ,૪પ૮*
♦ શહેરી ➖ *૧૭,૨૨,૭૧પ*
👨🏻🏫 વસ્તી ગીચતા ➖ *૩૧૦*
👨🏻🏫 લિંગ પ્રમાણ ➖ *૯૫૨*
👨🏻🏫 શિશુ લિંગ પ્રમાણ ➖ *૯૦૪*
👨🏻🏫 *સાક્ષરતા દર* ➖ *૭૬.૮૮%*
♦ પુરુષ *- ૮૫.૮૯%*
♦ સ્ત્રી *- ૬૭.૫૯%*
👨🏻🏫 *સરહદો* ➖
♦ પૂર્વ *- અમરેલી*
♦ પશ્ચિમ *- પોરબંદર*
♦ ઉત્તર *- રાજકોટ*
♦ દક્ષિણ *- ગીર સોમનાથ*
👨🏻🏫➖ *જૂનાગઢ જિલ્લાના તાલુકા* 👇🏿
♦ કેશોદ
♦ જુનાગઢ ગ્રામ્ય
♦ જુનાગઢ શહેર
♦ ભેંસાણ
♦ માણાવદર
♦ માળિયા
♦ માંગરો
♦ મેંદરડા
♦ વંથલી
♦ વિસાવદર
➖ *૧૫,ઓગસ્ટ,૨૦૧૩* ના રોજ આ જિલ્લામાંથી અલગ *ગીર સોમનાથ* જિલ્લાની રચના કરવામાં આવી.
👨🏻🏫➖ *નવ રચિત જિલ્લા ના તાલુકા*👇🏿
♦ વેરાવળ
♦ તાલાળા
♦ સુત્રાપાડા
♦ કોડીનાર
♦ ઉના
♦ ગીર ગઢડા
👨🏻🏫 *મુખ્ય પાક* ➖
♦ મગફળી (પ્રથમ)
♦ શેરડી
♦ કપાસ (પ્રથમ)
♦ ઘઉં
♦ બાજરી
♦ જુવાર
♦ ચણા
♦ મકાઈ
♦ કેળ
♦ કઠોળ
👨🏻🏫 *મુખ્ય ખનીજો* ➖
♦ ચોક
♦ લાઇમ સ્ટોન
♦ બોકસાઇટ
♦ સફેદ અને કાળો પથ્થર
👨🏻🏫 *મુખ્ય વ્યવસાય* ➖
♦ કૃષિ
♦ પશુપાલન
♦ માછીમારી
👨🏻🏫 *પરિવહન વ્યવસ્થા* ➖
♦ રેલ્વે *- ૪૨૧ કિ.મી.*
♦ રસ્તા *- ૪૮૧૦ કિ.મી.*
♦ બંદરો *- ૧ (માંગરોળ)*
♦ એરપોર્ટ *- ૧ (કેશોદ)*
👨🏻🏫 પોસ્ટ ઓફીસ ➖ *૯૭૪*
👨🏻🏫 *બેંક ની શાખાઓ* ➖
♦ રાષ્ટ્રીયકૃત બેંકની *- ૧૨૬*
♦સહકારી,ખેતી અને ગ્રામીણ વિકાસ બેંકની *- ૧૩*
♦ કો-ઓપરેટીવ બેંકની *- ૬૩*
♦ગ્રામિણ બેંકની *- ૨૨*
👨🏻🏫 *ઉદ્યાગો* ➖
♦ લઘુ ઉધોગ એકમો *- ૬૪૮૬*
♦ મોટા ઔધોગિક એકમો *- ૪૪*
♦ ઔધોગિક સહકારી મંડળી *- ૨૭પ*
👨🏻🏫 *શિક્ષણ સંસ્થાઓ* ➖
♦ પ્રાથમિક શાળાઓ *- ૧૨૯૦*
♦ માધ્યમિક શાળાઓ *- ૩૪૩*
♦ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ *- ૧૧૪*
♦ કોલેજ *- ૧૬*
👨🏻🏫➖ *જૂનાગઢ ના શાસકો*👇🏿
♦૧૭૩૫ - ૧૭૫૮: *મોહમ્
મદ બહાદરખાનજી (પહેલા)*
♦ ૧૭૫૮ - ૧૭૭૫: *મોહમ્મદ મહાબતખાનજી (પહેલા)*
♦ ૧૭૭૫ - ૧૮૧૧: *મોહમ્મદ હમિદખાનજી (પહેલા)*
♦ ૧૮૧૧ - ૧૮૪૦: *મોહમ્મદ બહાદરખાનજી (બીજા)*
♦ ૧૮૪૦ - ૧૮૫૧: *મોહમ્મદ હમિદખાનજી (બીજા)*
♦ ૧૮૫૧ - ૧૮૮૨: *મોહમ્મદ મહાબતખાનજી (બીજા)*
♦ ૧૮૮૨ - ૧૮૯૨: *મોહમ્મદ બહાદરખાનજી (ત્રીજા)*
♦ ૧૮૯૨ - ૧૯૧૧: *મોહમ્મદ રસુલખાનજી*
♦૧૯૧૧ - ૧૯૪૮: *મોહમ્મદ મહાબતખાનજી (ત્રીજા)*
👨🏻🏫 લોકમેળા ➖
♦ *મહાશીવરાત્રી*
♦ *ગિરનારની પરિક્રમા*
♦ *અષાઢી બીજનો પરબનો મેળો*
♦ *ખોરાસા*
♦ *વ્યંકટેશ્ર્વર મંદિરનો મેળો*
♦ *ઉપલા દાતારનો ઉર્સનો મેળો*
♦ *કેશોદ અક્ષયગઢનો મેળો*
🌺 *જૂનાગઢ ના જોવાલાયક સ્થળો* 🌺
👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿
🌺 *ગિરનાર પર્વત* 🌺
👉🏿 *ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે.
🌺 *દામોદર કુંડ* 🌺
👉🏿 *પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઈન્દ્રે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા. એમાં બધા દેવ-દેવીઓ ઉપસ્થિત રહેલાં. એ દરેકને પોત પોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ, આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરી પધરાવ્યાં, બીજાં તીર્થોને પણ ત્યાં બોલાવ્યાં. આમ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો. બ્રહ્માના નામ પરથી એ કુંડનું નામ '‘બ્રહ્મકુંડ’ પડ્યું. બ્રહ્માના વચનથી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા. તેથી આ તીર્થ ‘દામોદર’ નામે પ્રસિદ્ધ થયું. અહીં મનુષ્યનાં અસ્થિ પધરાવવાથી તદ્દન ગળી જાય છે. ગોમતીમાં પધરાયેલાં અસ્થિ ચક્રરૂપ, ગંગામાં શેવાળ રૂપ અને દામોદરમાં જળ રૂપ બને છે.
🌺 *અશોકનો શિલાલેખ* 🌺
👉🏿 *ગુજરાત નો સૌથી પ્રાચીન શિલાલેખ જે જુનાગઢથી ગિરનારનાં દર્શને જતા રસ્તામાં જમણી બાજુએ એકાદ કિલોમીટરે આવતુ પ્રથમ ઐતિહાસીક સ્થળ છે. આ શિલાલેખ મૌર્ય વંશમાં થયેલ અશોકના નામથી પ્રચલિત છે. આ ૭૫ ફુટનાં ઘેરાવામાં આશરે ૨૨૦૦ વર્ષથી પડેલા ઈતિહાસના અમુલ્ય વારસા સમા અશોકનાં શિલાલેખમાં ૧૪ આજ્ઞાઓ કોતરેલી છે. તેમાં યજ્ઞ કે શિકાર માટે પશુવધ ન કરવાનો, માણસો અને જનાવરો માટે ઔષધિઓનું વાવેતર કરવાનો, લોકોને ધર્મ બરાબર પાળવાનો, મિત્રો, બ્રાહ્મણો અને શ્રમણોનો સત્કાર કરવાનો, દરેક ધર્મ અને સંપ્રદાય પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો એમ વિવિધ ઉપદેશ અપાયા છે. ૨૨૦૦ વર્ષથી સચવાયેલ આ શિલાલેખને અત્યારે ભારત સરકારનાં પુરાતન વિભાગ દ્વારા સાચવવામાં આવ્યો છે. અને તેની દેખરેખ નીચે છે.
🌺 *ઉપરકોટ* 🌺
👉🏿 *જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી વલભીના શાસકોના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ કિલ્લનો જીર્ણોદ્ધાર ચુડાસમા રાજાઓ દ્વારા થયો. જે અનુક્રમે ચુડાસમા, સોલંકી અને મુઘલ રાજાઓના કબજામાં હતો. ઉપરકોટના કિલ્લામા અડીકડીવાવ, નવઘણકુવો, બૌદ્ધ ગુફાઓ, રાણકદેવીનો મહેલ (જામા મસ્જીદ), નિલમ તથા કડાનાળ તોપ, અનાજના કોઠારો તથા સાત તળાવ તરીકે ઓળખાતો વોટર ફીલ્ટર પ્લાન્ટ જોવા લાયક સ્થળો છે.
🌺 *ગીર રાષ્ટ્રીય ઉદ્યાન* 🌺
👉🏿 ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી, તે કુલ ૧,૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે આ ઉપરાંત પાણીયા અને મિતિયાળા અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી. વેરાવળથી લગભગ ૪૩ કી.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં આવેલું છે.આ એશિયાઇ સિંહો નું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિમહત્વનાં રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગીરનું જીવપરિસ્થિતિક તંત્ર તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે, સરકારી વન વિભાગ, વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે. જુનાગઢના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેનાં સિંહોને "રક્ષિત" જાહેર કરાયેલા. આ પહેલ સિંહોનાં રક્ષણમાં ખુબ મદદરૂપ બની કે જેમની વસતી શિકારની પ્રવૃતિને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઇ હતી.
👉🏿 આ પ્રાણી સંગ્રહાલય આઝાદી પહેલાં એટલે કે જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં બનાવવામાં આવ્યું હતું. એશિયાઇ સિંહ આ પ્રાણી સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ છે.સક્કરબાગ આશરે
૧૯૮ હેક્ટરમાં ફેલાયેલું છે.સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના નાવાબી કાળ દરમિયાન, ઇ.સ. ૧૮૬૩ માં થઇ હતી, જે ભારતના જુનામાં જુના પ્રાણીસંગ્રહાલયોમાનું એક છે.આ પ્રાણી સંગ્રહાયલનું નામ એક મીઠા પાણી (સક્કર) ના કુવા પર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ વગેરે, મોટા ભાગના પ્રાણીઓ જોવા મળે છે. અહિં એશિયાઇ સિંહ મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત એશિયાઇ ચિત્તો અને તાજેતરમાં જ પોકેટ મન્કી તરીકે ઓળખાતું પ્રાણી લાવવામાં આવ્યું છે.
*સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આશરે નીચે મુજબ જેટલા પ્રાણીઓ છે:*
સસ્તન 👉🏿 *૫૨૫*
પક્ષીઓ 👉🏿 *૫૯૭*
સરિસૃપ 👉🏿 *૧૧૧*
*👏👏👏🙏🙏🙏
Thursday, November 15, 2018
માં વાત્સલ્ય યોજના હેઠળ, કોઈ પણ જાતી ના ભેદભાવ વગર , રૂપિયા 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનારા 60 ઉપરના અને સિનિયર
ખુશખબર :- માં વાત્સલ્ય યોજના હેઠળ, કોઈ પણ જાતી ના ભેદભાવ વગર , રૂપિયા 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનારા 60 ઉપરના અને સિનિયર સિટીઝન નું પ્રમાણપત્ર ધરાવનાર દરેક ને વાર્ષિક 5 લાખ ની તબીબી સારવાર,નિયમો ને આધીન,ગુજરાત સરકાર મફત પુરી પાડશે. સરકાર નો ઠરાવ સામેલ છે.આનો અમલ તારીખ 1 એપ્રિલ થી શરૂ થઈ ચૂક્યો છે.
મુખ્યમત્રી અમૃતમ“મા” અને મા “વાત્સલ્ય” યોજના હેઠળ સહાય મળવા પાત્ર “મુખ્ય” હોસ્પિટલો ની યાદી
ક્રમ હોસ્પિટલ નુ નામ શહેર
1 આરના સુપર સ્પે.હોસ્પિટલ અમદાવાદ
2 નારાયણ હદયાલય પ્રા.લી અમદાવાદ
3 HCG કેન્સર સેન્ટર સોલા અમદાવાદ
4 બોડી લાઈન હોસ્પિટલ અમદાવાદ
7 રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ
6 પુષ્પા ચિલ્ડ્રન હોસ્પિટલ અમદાવાદ
7 HCG મલ્ટી સ્પે. હોસ્પિટલ અમદાવાદ
8 મેડીલીંક હોસ્પિટલ અમદાવાદ
9 GCS મેડીકલ કોલેજ અમદાવાદ
10 સંજીવની સુપેર સ્પે હોસ્પિટલ અમદાવાદ
11 જયદીપ હોસ્પિટલ અમદાવાદ
12 પારેખ હોસ્પિટલ અમદાવાદ
13 ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ અમદાવાદ
14 ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ
15 કીડની ડાયા.એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ
16 સિવિલ હોસ્પિટલ અમદાવાદ
17 યુ.એન.મહેતા કાર્ડીઓલોજી અમદાવાદ
18 શેઠ વી એસ જનરલ હોસ્પિટલ અમદાવાદ
19 L.G મ્યુનિસિપલ હોસ્પિટલ અમદાવાદ
20 મ્યુની.કોર્પો.હોસ્પિટલ અમદાવાદ
21 જનરલ હોસ્પિટલ સોલા અમદાવાદ
22 સ્પિન ઇન્સ્ટીટયુટ એન્ડ હોસ્પિટલ અમદાવાદ
23 ક્રિષ્ના હોસ્પિટલ આણંદ
24 M.M પરીખ કાર્દી.કેર સેન્ટર આણંદ /ખંભાત
25 હનુમંત હોસ્પિટલ ભાવનગર
26 HCG હોસ્પિટલ ભાવનગર
27 ભાવનગર સિવિલ હોસ્પિટલ ભાવનગર
28 ગુજરાત અદાણી હોસ્પિટલ ભુજ
29 સ્ટલિંગ રામકૃષ્ણના હોસ્પિટલ ગાંધીનગર
30 GOENKA હોસ્પિટલ ગાંધીનગર
31 GMERS મેડીકલ કોલેજ હોસ્પિટલ ગાંધીનગર
32 ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ જામનગર
33 પ્રેમ સ્વરૂપ સ્વામી મલ્ટી હોસ્પિટલ કલોલ
34 DDMM કાર્ડ ઇન્સ્ટીટયુટ ખેડા
35 AIMS હોસ્પિટલ કચ્છ
36 બા કેન્સર હોસ્પીટલ નવસારી
37 ઓરેન્જ હોસ્પિટલ નવસારી
38 યેશા સુપર સ્પે હોસ્પિટલ નવસારી
39 યશકીન હોસ્પિટલ નવસારી
40 માવજત મલ્ટી સ્પે.હોસ્પિટલ પાલનપુર
41 પાટણ જનતા હોસ્પિટલ પાટણ
42 GMERS મેડીકલમેડીકલ કોલેજ હોસ્પિટલ પાટણ
43 સ્ટલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ રાજકોટ
44 બી ટી સવાણી કીડની હોસ્પિટલ રાજકોટ
45 શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ
46 ક્રિષ્ના મલ્ટી સ્પે.હોસ્પિટલ રાજકોટ
47 એન.પી.કેન્સર હોસ્પિટલ રાજકોટ
48 યુનિકેર હોસ્પિટલ રાજકોટ
49 એચ જે દોશી હોસ્પિટલ રાજકોટ
50 સિવિલ હોસ્પિટલ રાજકોટ
51 મેડીસ્ટાર હોસ્પિટલ પ્રા.લી. બનાસકાંઠા
52 ભારત કેન્સર હોસ્પિટલ સુરત
53 શ્રી બી ડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટીટયુટ સુરત
54 પ્રભુ જનરલ હોસ્પિટલ સુરત
55 પી પી સવાણી હાર્ટ ઇન્સ એન્ડ મલ્ટી હોસ્પિટલ સુરત
56 સીતા સુપર સ્પેશિયલ હોસ્પિટલ સુરત
57 લાઈફ લાઈન હોસ્પિટલ સુરત
58 લિઓન્સ હોસ્પિટલ સુરત
59 સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ સુરત
60 યુંનીકેર હોસ્પિટલ સુરત
61 વોકહાર્ટ હોસ્પિટલ સુરત
62 સુરત મ્યુનિ કોર્પો મેડી કોલેજ એન્ડ હોસ્પિટલ સુરત
63 સિવિલ હોસ્પિટલ સુરત
64 શ્રીજી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર વડોદરા
65 સ્ટરલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ વડોદરા
66 ધીરજ હોસ્પિટલ એન્ડ એન્ડ સુમનદીપ વિદ્યાપીઠ વડોદરા
67 બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટયુટ વડોદરા
68 બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર વડોદરા
69 મુની સેવા આશ્રમ વડોદરા
70 પ્રેમદાસ જલારામ હોસ્પિટલ વડોદરા
71 હિમાલયા કેન્સર હોસ્પિટલ વડોદરા
72 વિરોક સુપર સ્પે.હોસ્પિટલ વડોદરા
73 પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ વડોદરા
74 રીધમ હોસ્પિટલ વડોદરા
75 નાનક સુપર સ્પે.હોસ્પિટલ વડોદરા
76 મેટ્રો હોસ્પિટલ વડોદરા
77 SCHVIJK હોસ્પિટલ વડોદરા
78 બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટી સ્પે.હોસ્પિટલ વડોદરા
79 એસ.એસ.જી.સિવિલ હોસ્પિટલ વડોદરા
80 GMERS મેડીકલ વલસાડ વડોદરા
81 નાડકારની હોસ્પિટલ વલસાડ
82 GMERS હોસ્પિટલ વલસાડ વલસાડ
મિત્રો આ માહિતી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે જેથી તમારા દરેક મિત્ર સાથે શેર કરો.⚔🅿⚔🅿⚔*PRAVINSINH PARMAR*
ધોરણ ૧ થી ૧૨ ના તમામ માધ્યમના પાઠ્યપુસ્તકો હવે PDF સ્વરૂપે ડાઉનલોડ કરો
*📚 ધોરણ ૧ થી ૧૨ ના તમામ માધ્યમના પાઠ્યપુસ્તકો હવે PDF સ્વરૂપે ડાઉનલોડ કરો!* શું તમારે ધોરણ ૧ થી ૧૨ ના વિવિધ વિષયો અને અલગ-અલગ ...
-
વાંચો અને શેર કરો🔄 આ પોસ્ટ ફક્ત ને ફકત કારડીયા રાજપૂતને સંબંધિત છે. એમાં આપેલા ઉદા. કે વ્યાખ્યા સાથે અન્ય કોઈ સમાજને લાગતું વડક...
-
CCC CERTIFICATE BAOU અંગે ચોખવટ 2/1/2009 na roj thayel paripatra mujab "A" vibhag na centres rad karel chhe. "B...
-
⚔ 🚩રજપુત-ક્ષત્રિયનો ઈતિહાસ 🚩 ⚔ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ સનાતન ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કર...