*મતદાર યાદીમાં નામ જોવા માટે અહી ક્લિક કરો*
*મતદાર યાદીમાં તમારો ક્રમ, ભાગ નંબર જાણવા માટે*
http://erms.gujarat.gov.in/ceo-gujarat/master/elector-search-dist-ac-serial.aspx
Sunday, March 31, 2019
મતદાર યાદીમાં નામ જોવા માટે અહી ક્લિક કરો*
Saturday, March 23, 2019
ચૂંટણી ને લગતા તમામ પ્રકારના પત્રકો
ચૂંટણી ને લગતા તમામ પ્રકારના પત્રકો જે આવનારી ચૂંટણીમાં ફરજ પર રહેતા અધિકારીઓ ને ખૂબ જ ઉપયોગી*
🎯કાપલી
🎯 સંખ્યા દર્શાવતું પત્રક
🎯ટકાવારી પત્રક
🎯બુથ પત્રક
🎯નીલ પત્રક
🎯P O પત્રક વગેરે
Wednesday, March 6, 2019
લકવો
*લકવો*
વાંચો જ નહીં " શેર કરો વાલા....કોઈની દુવા મળી જાશે.. જય સિયારામ..
💐💐💐💐💐💐💐
માત્ર ૭ દિવસમાં જ લકવા, પક્ષઘાતનો રોગી સાજો થઈ જશે એ પણ નિઃશુલ્ક, જરૂર વાંચો અને શેયર કરો
માત્ર ૭ દિવસમાં જ લકવા/ પક્ષઘાતનો રોગી સાજો થઈ જશે એ પણ નિઃશુલ્ક , ખૂબ જ મહત્વપૂર્ણ પોસ્ટ છે જરૂર વાંચો અને શેયર કરો.
આ જાણકારી વાંચતા પહેલાં તમને નિવેદન છે કે કૃપયા માનવતાના નાતે આ પોસ્ટને શેર જરૂર કરો જેથી જરૂરતમંદને નિશુલ્ક ઉપચાર થઈ શકે.
રાજસ્થાનની ધરતી પર એક એવું મંદિર પણ છે જ્યાં દેવી દેવતા માત્ર આશિષ જ નથી આપતા પરંતુ લખવાના રોગીને આ રોગથી મુક્ત કરી દે છે. આ મંદિરમાં દૂર દૂરથી લકવાના દર્દીઓ સંબંધીઓના સહારે જરૂર આવે છે પરંતુ જતી વખતે તેઓ પોતાના જ સહારે જાય છે.
કળિયુગમાં આ પ્રકારના ચમત્કારને નમન છે. જ્યાં વિજ્ઞાન પણ ફેલ થઈ જાય છે અને ચમત્કાર રંગ લાવે છે ત્યારે ઈશ્વર પ્રત્યેની આસ્થા અધિક થઇ જાય છે. તો ચાલો મિત્રો આપણે જાણીએ આ મંદિરનો મહિમા જે પેરાલિસિસ (લકવા)ને મટાડી દે છે.
રાજસ્થાનમાં નાગૌરથી ૪૦ કિલોમીટર દૂર અજમેર-નાગૌર રોડ પર આવેલ કુચેરા કસ્બાની પાસે સ્થિત “બુટાટી ધામ” જેને ચતુરદાસજી મહારાજના મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર લકવાથી પીડિત દર્દીઓનો ઇલાજ કરવા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.
➡ પરિક્રમાં તેમજ હવન કુંડની વિભૂતિ જ છે દવા
આ મંદિરમાં બીમારીનો ઇલાજ ના કોઇ પંડિત કરે છે ના તો કોઈ વેદ કે હકીમ. માત્ર અહીં તમારે ૭ દિવસો માટે દર્દી સાથે આવવાનું હોય છે અને ૭ દિવસો સુધી મંદિરની પરિક્રમા લગાવવાની હોય છે. ત્યારબાદ હવનકુંડની વિભૂતિ લગાવવાની હોય છે. ધીરે ધીરે લકવાની બીમારી દૂર થવા લાગે છે. હાથ અને પગ હલનચલન કરવા લાગે છે જો લકવાના કારણે બોલી નથી શકાતું તો ધીરે ધીરે બોલવાનું પણ શરૂ થઈ જાય છે
➡ કઈ રીતે થાય છે આ ચમત્કાર :
કહેવામાં આવે છે કે ૫૦૦વર્ષો પહેલાં અહીં મહાન સંત થઈ ગયા જેમનું નામ ચતુરદાસજી મહારાજ હતું.તેમણે ઘોર તપસ્યા કરી અને રોગોને મુક્ત કરાવવા માટેની સિદ્ધિ પ્રાપ્ત કરી. આજે પણ તેમની શક્તિ તેમના માનવીય કાર્યમાં સાથ આપે છે. જે કોઇ તેમની સમાધિની પરિક્રમા કરે છે તે લકવામાં રાહત મેળવે છે.
👉રહેવા ખાવાની વ્યવસ્થા
આ મંદિરમાં ઇલાજ માટે આવનાર દર્દીઓ અને તેમના પરિજનોને રહેવા તેમજ ખાવાની વ્યવસ્થા મંદિર નિશુલ્ક કરે છે.
👉 દાનમાં આવે છે અઢળક રૂપિયા
મંદિરની આ કીર્તિ અને મહિમા જોઇને ભક્તો દાન પણ કરે છે અને આ પૈસા જન સેવામાં જ લગાવવામાં આવે છે. ઘણા લોકો એવા પણ છે જેમને હજુ પણ આ વાત પર વિશ્વાસ નથી થઇ રહયો. આ વાતની પુષ્ટી ત્યાં સુધી ન થઈ શકે જ્યાં સુધી તમે જાતે જ આ સ્થળની મુલાકાત લઈને લકવા પીડિત દર્દીઓને ન મળો. સત્યતા દર્દીઓ જાતે જ કહે છે જેઓ લકવાથી પીડિત હતા. અહીં આવ્યા બાદ તેઓ સ્વસ્થ થઈ ગયા. તમે પણ એકવાર જરૂર જાઓ અને સત્ય તમારી આંખોથી જુઓ.
જીવનમાં ભલે,ધન,ઐશ્વર્ય,માન,પદ,પ્રતિષ્ઠા વગેરે ગમે તેટલું કેમ ન હોય પરંતુ શરીરમાં બીમારી હોય તો આ બધું જ બેકાર છે તેમજ જીવન પણ નિરસ છે. આ જ રીતે લકવા એક એવી બીમારી છે જેનાથી પીડિત વ્યક્તિ જીવનભર આખા પરિવાર પર બોજ બની જાય છે.
લકવા પીડિત વ્યક્તિઓ માટે આજની આ પોસ્ટ એક નવી સવાર સાબિત થશે આ અમારો દાવો છે. પક્ષાઘાત, લકવા અથવા અંગ્રેજીમાં પેરાલિસિસ પીડિત દર્દીઓ માટે આ એકદમ પ્રામાણિક અને રામબાણ ઇલાજ છે.
👉 લકવાના લક્ષણો
જેમ કે કોઈનું મોઢું વાંકુ થઈ જવું, આંખો વાંકી થઈ જવી, હાથ અથવા પગ વાંકા થઈ જવા કે પછી શરીરનો એક તરફનો ભાગ બિલકુલ કામ કરવાનું બંધ કરી દેવું આ સામાન્યતાથી લકવાના લક્ષણો છે.
મિત્રો જો તમારા કોઇ સગા સંબંધીઓ પક્ષઘાત અથવા લકવાથી પીડિત છે તો કશે પણ જવાની જરૂર નથી. જો શરીરનો કોઈ એક અંગ કે શરીર ડાબી તરફથી લકવાગ્રસ્ત છે તો તેની માટે વ્રહતવાતચિંતામણી રસ (વૈદ્યનાથ ફાર્મસી)ની દવા લો. તેમાં નાની નાની ગોળી (બાજરીના દાણાથી સહેજ મોટી ) જેવી દવા હશેે. તેમાંની એક ગોળી સવારે અને એક ગોળી સાંજના સમયે શુદ્ધ મધ સાથે લો.
મિત્રો જો કોઈ ભાઇ બહેનો જમણી તરફથી લકવાગ્રસ્ત છે તો તેમને વીર-યોગેન્દ્ર રસ (વૈદ્યનાથ ફાર્મસી) ની સવારે અને સાંજે એક એક ગોળી મધ સાથે લેવાની હોય છે. હવે ગોળીને મધ સાથે કઈ રીતે લેશો?? તેના માટે ગોળીને એક ચમચી પર રાખીને બીજી ચમચીથી પીસી લો અને ત્યારબાદ તેમાં મધ મેળવીને ચાટી લો.
આ દવા નિરંતર રીતે લેતા રહેવાની છે જ્યાં સુધી લકવા પીડિત સ્વસ્થ ન થઈ જાય. લખવા પીડિત વ્યક્તિએ ચણાનો લોટ તેમજ શુદ્ધ ઘી (માખણ નહીં )નો પ્રયોગ વિપુલ માત્રામાં કરવાનો હોય છે. મધનો પ્રયોગ પણ વધુમાં વધુ શ્રેષ્ઠ રહેશે.
લાલ મરચું, ગોળ-ખાંડ,કોઈ પણ અથાણા, દહીં-છાશ, વિનેગર, અડદની દાળ સંપૂર્ણ રીતે વર્જિત છે.તે ન લેવું જ યોગ્ય છે. ફળોમાં ફક્ત ચીકુ અને પપૈયું જ લેવાના છે અન્ય બધાં જ ફળો વર્જિત છે. શરૂઆતના દિવસોમાં કોઇપણ પ્રકારના માલિશથી પરેજી રાખવાની રહેશે.
ત્યાં સુધી કોઈ માલિશ ન કરાવો જ્યાં સુધી પીડિત ઓછામાં ઓછું ૬૦ ટકા સુધી સ્વસ્થ ન થઈ જાય. આ દવા લાખો પીડિત વ્યક્તિઓ માટે જીવનદાયિની રહી છે જેઓ વર્તમાનમાં સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. સ્વાસ્થ્ય એ મૂળ તત્વ છે જે જીવનની બધી જ ખુશીઓને જીવંત બનાવે છે. તેમજ સ્વાસ્થ્ય વગર એ બધી જ ખુશીઓ નષ્ટ તેમજ નિરસ હોય છે. સુખી થવું છે તો પ્રસન્ન રહો,નિશ્ચિંત રહો, મસ્ત રહો .
HOUSE TAX ( ઘરવેરો )
જુનાગઢ મહાનગરપાલિકા મિલ્કત વેરા બિલ તારીખ: ૩૦/૦૪/૨૦૨૬ મિલકતવેરા ઉપર વળતર યોજના તા. - ૩૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં છે. ઓનલાઇન વેરો ...
-
વાંચો અને શેર કરો🔄 આ પોસ્ટ ફક્ત ને ફકત કારડીયા રાજપૂતને સંબંધિત છે. એમાં આપેલા ઉદા. કે વ્યાખ્યા સાથે અન્ય કોઈ સમાજને લાગતું વડક...
-
⚔ 🚩રજપુત-ક્ષત્રિયનો ઈતિહાસ 🚩 ⚔ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ સનાતન ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કર...
-
PSI paper 2 answer key 2015 gujarati1) ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ?(A).સ્વૈર વિહારી (B).સ્નેહરશ્મિ (C).પ્રિયદર્શી (D).ઉશનસ્...