Monday, April 21, 2025

“જૂનાગઢમાં 22 એપ્રિલના રોજ ભરતી મેળો યોજાશે.”

“જૂનાગઢમાં 22 એપ્રિલના રોજ ભરતી મેળો યોજાશે.”

- રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર આગામી 22 એપ્રિલ સવારે 10:30 વાગ્યે ભરતી મેળો યોજાશે.
- ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ક્રિએટીવ કાસ્ટીંગ લીમીટેડ જૂનાગઢ, સીનોવા ગીયર્સ એન્ડ ટ્રાંશમીશન પ્રા.લી. મુ.પીપળીયા રાજકોટ, સી.આઇ.ઇ.ઓટોમોટીવ ઇન્ડિયા લી. શાપર રાજકોટ, કંપની ખાતે પ્રોડક્શન સુપરવાઇજર/ ટ્રૈઇની, ક્વોલીટી ઇન્સપેક્ટર, સ્ટોર/ પર્ચેસ એક્ઝ્યુકેટીવ, ફિટર, સી.એન.સી./ વી.એમ.સી.કે. મશીન ઓપરેટરની જગ્યા માટે ભરતી મેળો યોજાશે.
- જેમાં એસ.એસ.સી., આઇ.ટી.આઈ., ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ ભાગ લઈ શકશે.
- જે ભરતીમેળો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે યોજાશે.
- ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે સ્થળ પર સમયસર સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. 
- આ ભરતી મેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. 
- વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક: 0285-2620139

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મેડિકલ બિલ મંજૂરી હવે વધુ સરળ! ✅સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર! ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે અમદાવાદની ત્રણ પ્રખ્યાત સ્વાયત્ત સંસ્થાઓને હવે 'સરકારી હોસ્પિટલ' સમકક્ષ ગણવાનો મહત્વનો નિર્ણય લીધો છે.👇 કઈ ૩ હોસ્પિટલોનો સમાવેશ થયો?૧. યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી (હૃદયરોગ)૨. ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (કેન્સર)૩. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (કિડની)✨ શું ફાયદો થશે?🔹 હવે આ હોસ્પિટલોમાં લીધેલી સારવારના બિલો નાણાકીય મર્યાદા વિના સીધા તિજોરી અધિકારી (Treasury Officer) સ્તરેથી મંજૂર થઈ શકશે.

🏥 ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મેડિકલ બિલ મંજૂરી હવે વધુ સરળ! ✅ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર! ગુજરાત સરકારના...