Friday, April 30, 2021

ઘરેલું ઉપચાર વાત. પીત . કફ

મિત્રો શરીર ની અંદર ત્રણ પ્રકૃતિ ની વાત કરું તો આપના મસ્તક થી છાતી સુધીનો ભાગ તેની અંદર કફ સમાયેલા છે. ત્યાર બાદ છાતી થી કમર સુધી નો ભાગ હોય છે તેમાં પિત્ત નો પ્રભાવ રહેલો છે કમર થી જે નીચેનો ભાગ છે એમાં વાયુ નો પ્રભાવ રહેલો છે મસ્તક થી છાતી સુધી ના ભાગ માં જે રોગ થતાં હોય છે એ કફ ને લીધે થતા હોય છે જેમ કે શરદી, ઉધરસ વગેરે.

જે પેટના રોગો થતા હોય છે એ પિત્ત ને લીધે થતા હોય છે જેમ કે ગેસ, એસિડિટી, આફરો વગેરે. કમર થી નીચેનો જે ભાગ જે રોગ થાય છે એ વાયુ ના આધારે થાય છે એટલે કે વાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, વાયુ ના પ્રભાવથી થાય છે.

0 થી 14 વર્ષ સુધી ની ઉંમર વાળા ને કફ નો રોગ વધારે થતો હોય છે 15 થી 50 વર્ષ સુધીની ઉંમર વાળા ને પિત્ત નો રોગ વધારે થાય છે 50 વર્ષથી વધુ ઉંમર વાળા ને વાયુ ના રોગ વધારે થાય છે.

મિત્રો જ્યારે શરીરમાં કફ વધી જાય છે ત્યારે કફ ને શાંત કરવા દેશી ગોળ જરૂરી છે. 
એવી જ રીતે જીરું થી પિત્ત ની સમસ્યા ઓછી થાય છે. 
અને વાયુ માટે મેથી ખાવાથી વા ઓછો થાય છે. મિત્રો માથાનો દુખાવો ગેસ ને કારણે થાય છે.

HOUSE TAX ( ઘરવેરો )

જુનાગઢ મહાનગરપાલિકા મિલ્કત વેરા બિલ તારીખ: ૩૦/૦૪/૨૦૨૬ મિલકતવેરા ઉપર વળતર યોજના તા. - ૩૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં છે. ઓનલાઇન વેરો ...