Saturday, March 21, 2020

*ધ્યાનથી ધ્યાનથી ધ્યાનથી વાંચજો અને સાચવજો પ્લીઝ.*

*ધ્યાનથી ધ્યાનથી ધ્યાનથી વાંચજો  અને સાચવજો પ્લીઝ.*

• ઈટાલીની જનસંખ્યા માત્ર 6.5 (સાડા છ) કરોડ છે. ત્યાં દર એક કિલોમીટરમાં એવરેજ 205 લોકો રહે છે.

• માત્ર 35 દિવસ પહેલાં ઇટાલીમાં માત્ર 3 કેસ હતાં, આજે 41000થી વધુ છે. 41 હજાર.

• માત્ર 30 દિવસ પહેલાં ઇટાલીમાં મૃત્યુઆંક 1 હતો, આજે 3400થી વધુ છે.

*હવે આપણી વાત કરીએ,*

• ભારતમાં દર એક કિલોમીટરમાં એવરેજ 450થી વધુ લોકો રહે છે. (ઈટાલી 205)

• અમદાવાદ અને સુરત જેવા શહેરમાં દર એક કિલોમીટરમાં લગભગ 13000થી વધુ લોકો રહે છે. હા, તેર હજાર. (ઈટાલી 205)

*હવે રોગની ગંભીરતા સમજો.*

ઈટાલી અને આપણી સ્વાસ્થ્ય સેવાઓ વચ્ચેનો ફરક પણ જાણો. આપણી સ્વાસ્થ્ય અને અન્ય વ્યવસ્થાઓ રોગને *રોકવા* માટે કદાચ સક્ષમ હશે પણ સંખ્યા ભયજનક થાય તો નિવારવા માટે કદાચ ટુંકી પડશે. ગમે તેટલી મહેનત કરશે તો પણ એક લેવલથી ઉપર સરકાર પણ કશું નહીં કરી શકે.

વિચારો, ન કરે નારાયણને ઈટાલીની જેમ થયું તો કેટલા દવાખાનાઓ અને આઇસોલેશન સેન્ટરો ઉભા કરીશું ? એમાં કામ કરતો મેડિકલ સ્ટાફ પણ માણસ છે.

અત્યારે તો એક પકડાય છે એના પરિવાર સહિત તમામ લોકોને અલગ અલગ મુકી દેય છે અને 14 દિવસ ચેકીંગ થાય છે. જો આંકડો ભયજનક સ્થિતિએ પહોંચશે તો 
કોણ કોને સંભાળશે ? 
કોણ કોને સાચવશે ? 
કોણ કોને હોસ્પિટલમાં લઈ જશે ?
કહેવું ન ગમે પણ રસ્તે રઝળતી લાશને કોઈ ઉંચકવા પણ ન આવે એવી સ્થિતિ સર્જાઈ શકે.

ડેંગ્યુ જેવા રોગમાં પણ હોસ્પિટલો ફૂલ થઈ જાય છે. ડેંગ્યુમાં તો જનરલ વૉર્ડમા એકસામટા દર્દીઓને પણ રાખી શકાય છે.

ઉપર આપેલાં તમામ આંકડાઓ અને વર્તમાન પરિસ્થિતિ વિશે એક મિનીટ આંખો બંધ રાખીને વિચારો. તમને ડરાવવા માટે નહીં, ચેતાવવા માટે માહિતી આપી છે.

બહુ દુઃખ છે કે હજુ થવું જોઈએ એટલા સાવચેત આપણે નથી થયાં, ગંભીરતા સમજો અને સ્વાસ્થ્ય વિભાગ તરફથી સમયે સમયે આવતાં આદેશોનું કડકાઈથી પાલન કરો. તમારું જીવન કિંમતી છે.
🙏🙏🙏🙏🙏

Wednesday, March 11, 2020

ગુજરાતના જુદા જુદા ડેપોના પૂછ પરછ માટેના અગત્યના નંબરો

મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનામા લાભ લેવા માટે હોસ્પીટલા ની યાદી

અમદાવાદ સિવીલ હોસ્પીટલમા જવા વાળા માટે ખાસ

વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા આધાર પુરા આની યાદી

*શુ તમને ફરવાનો શોખ છે?**💢 દેખો અપના દેશ યોજના - ૨૦૨૦ની નવી યોજના*

*શુ તમને ફરવાનો શોખ છે?*

*💢 દેખો અપના દેશ યોજના - ૨૦૨૦ની નવી યોજના*

*☑જાણો કેન્દ્ર સરકાર ની યોજના વિશે*

*તમારા રાજ્ય સિવાયના 15 સ્થળોએ કરી શકો છો તમે પ્રવાસ... અને એ પણ ફ્રી માં*

*➡️ આ યોજના હેઠળ પ્રવાસ કરવાનો ખર્ચ આપશે સરકાર*

યોજના / તમારા ફરવાનો ખર્ચ સરકાર ઉઠાવશે, ‘દેખો અપના દેશ’ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

યોજના હેઠળ તમારે 1 વર્ષમાં 15 પર્યટન સ્થળોની મુલાકાત કરવાની રહેશે

સત્તાવાર વેબસાઈટ પર પર્યટન સ્થળોના ફોટા અપલોડ કરવા જરૂરી છે

Divyabhaskar.Com

Jan 30, 2020, 05:20 PM IST

ટ્રાવેલ ડેસ્ક. કેન્દ્ર સરકાર પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોજના શરૂ કરી છે, જેમાં તમારો ફરવાનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે. 'દેખો અપના દેશ' નામની આ યોજનાનો લાભ ભારતનો કોઈપણ નાગરિક ઉઠાવી શકે છે. આ યોજના હેઠળ, વર્ષ 2022 સુધીમાં, તમારે તમારા ગૃહ રાજ્ય સિવાય અન્ય રાજ્યોના 15 પર્યટન સ્થળોની મુસાફરી કરવાની રહેશે અને ત્યાંના ફોટો સરકારને મોકલવાના રહેશે.

આવી રીતે ફરવાની તક મળશે
આ સ્કીમ અંતર્ગત મુસાફરોને એક વર્ષમાં 15 પર્યટન સ્થળોની મુલાકાત લેવાની રહેશે. એટલે કે તમે તમારી યાત્રા ગમે ત્યારે શરૂ કરી શકો છો, પરંતુ તેને એક વર્ષની અંદર પૂરી કરવાની રહેશે. એક વર્ષમાં કોઈપણ 15 પર્યટન સ્થળોની મુલાકાત લીધા બાદ ત્યાં ફોટો ક્લિક કરવાના રહેશે. પોતાના ફોટો અને ખર્ચની વિગતો સત્તાવાર વેબસાઈટ https://pledge.mygov.in/my-country/પર અપલોડ કરવાની રહેશે. જો કે, તમામ પર્યટન સ્થળો તમારા ગૃહ રાજ્યની બહારના હોવા જોઈએ. ફોટા અતુલ્ય ભારતની થીમ પર ક્લિક કરવાના રહેશે.

કેવી રીતે રજિસ્ટ્રેશ કરાવવું
આ સ્કીમનો હિસ્સો બનાવવા માટે તમારે mygov.in પર જઈને એફિડેવિટ ફોર્મ ભરવું પડશે. તેમાં નામ, સરનામું અને ઈ-મેલ આઈડી જેવી જાણકારી ભરવાની રહેશે. આ એફિડેવિટ ફોર્મ ભર્યાના 1 વર્ષની અંદર તમારે પર્યટન સ્થળોની મુલાકાત કરવાની રહેશે. રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો.

https://pledge.mygov.in/my-country/

Thursday, March 5, 2020

સાઉથ સેન્ટ્રલ રેલવેએ QR કોડ દ્વારા ટિકિટ કાઢવાની સુવિધા શરૂ કરી છે.

યુટિલિટી ડેસ્કઃ ઇન્ડિયન રેલવે હવે મુસાફરોને ટિકિટ બુક કરાવવા માટે નવી સુવિધા આપવા જઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં લોકો સ્ટેશનો પર અનરિઝર્વ્ડ ટિકિટ માટે લાઇન ઊભા રહે છે. આ ભીડ અને કલાકો ઊભા રહેવાની સમસ્યામાંથી છૂટકારો આપવા સાઉથ સેન્ટ્રલ રેલવેએ QR કોડ દ્વારા ટિકિટ કાઢવાની સુવિધા શરૂ કરી છે. મુસાફર રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ પણ તેની ટિકિટ સ્કેન કરીને પણ ટિકિટ મેળવી શકે છે.

રેલવેના જણાવ્યાનુસાર, પેસેન્જર UTS (અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ) મોબાઇલ એપ દ્વારા સ્ટેશન પરિસર અથવા તેનાથી એક કિમી દૂર રહીને પણ ટિકિટ બુક કરી શકશે. તેના માટે યુઝરને એપમાં બુક ટિકિટના ઓપ્શનમાં QR બુકિંગનો ઓપ્શન પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તેને સ્ટેશનના પરિસરમાં લાગેલા QR કોડથી સ્કેન કરવાનું રહેશે. અહીંથી પેસેન્જર તેના ટ્રાવેલની જાણકારી ભરી શકે છે અને પેમેન્ટ પછી તેની ટિકિટ બુક થઈ જશે.

રેલવેનું કહેવું છે કે, UTS એપ પર આ સુવિધાથી પેસેન્જર સરળતાથી પેપરલેસ ટિકિટ ખરીદી શકે છે. આ ટિકિટ મોબાઇલ પર જ રહેશે. તેનાથી લોકોનો સમય બચશે અને કાઉન્ટર્સ પર ભીડમાં ઘટાડો થશે. અત્યાર સુધી એન્ડ્રોઇડના 10 લાખ યુઝર્સ આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...