Saturday, May 30, 2020

UPSC શું છે ? તેની તૈયારી કઈ રીતે કરવી ?

✳️✳️ U P S C✳️✳️

👉UPSC શું  છે  ? તેની તૈયારી કઈ રીતે કરવી  ?  UPSC ની એક્ઝામ કોણ આપી શકે  ?  UPSC ની ભરતી કેટલા વર્ષે થાય ?  UPSC નો સિલેબસ શું છે ? UPSC ની ભરતી માં કઈ સર્વિસ  મળે  ?  વગેરે સવાલો તમને થતા હશે ! 

👉UPSC નું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે . UPSC એ ક્લાસ ૧ ની એક્ઝામ લે છે . આઈએસ , આઈપીએસ , આઇએફએસ , આઈ આર એસ ,  જેવા અધિકારી બનવા માટે UPSC એક્ઝામ આપવી પડે .  UPSC ઈન્ડીયન ઇકોનોમિક સર્વિસ , ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ જેવી સર્વિસ ની પણ એક્ઝામ લે છે .

🎯UPSC ની એક્ઝામ ત્રણ ભાગમાં હોય છે .

👉 પ્રિલિમ એક્ઝામ 
👉 મેઈન એક્ઝામ
👉 ઇન્ટરવ્યૂ 

👉પ્રિલીમ પરિક્ષા ના બે પેપર હોય છે . 
👉બન્ને પેપર ૨૦૦ માર્ક ના હોય છે .
👉 જો તમે બીજા પેપર મા ૬૬ માર્ક કે તેનાથી ઉપર આવે તો જ તમારું પેપર ૧ ચેક થાય છે .
👉 તમારા પેપર ૧ ના માર્ક ઉપર થી મેરીટ બને કે તમે મુખ્ય પરિક્ષા આપી શકો કે નહિ . (. બીજા પેપર ના માર્ક ગણાતા નથી .)

👉 ૩ એક મહિના પછી તેનું રીઝલ્ટ આવે . જો તમે પ્રથમ પેપર માં સારા માર્ક હોય તો તમે મુખ્ય પરિક્ષા આપી શકો .
 
👉 પ્રીલીમ  પરિક્ષા મા પાસ થવાનું છે તેના માર્ક ફાઈનલ રીઝલ્ટ માં ગણાતા નથી .

🎯મુખ્ય પરિક્ષા 👇 

મુખ્ય પરિક્ષા મા કુલ નવ પેપર હોય છે . 

અંગ્રેજી ( જે બધા ઉમેદવાર માટે કોમન છે . પાસ થવા માટે ૩૦૦ માંથી ૭૫ ગુણ આવવા જરૂરી છે )

બીજું પેપર ભાષા નું હોય છે . ( બંધારણ ની ૮ મી  અનુસૂચિ માં ૨૨ ભાષા માંથી તમે ગમે તે પસંદ કરી શકો . એમાં ગુજરાતી પણ છે ચિંતા ના કરો😅 .આમાં પણ પાસ થવા ૩૦૦ માંથી ૭૫ માર્ક આવવા જરૂરી છે .)

👉આ બન્ને પેપર મા  પાસ થવું જરૂરી છે  આના માર્ક મુખ્ય પરિક્ષા મા ગણાતા નથી . 
  

👉👉મુખ્ય પરિક્ષા મા ૭ પેપર ના માર્ક ગણાય છે જે નીચે મુજબ છે 👇

👉 નિબંધ નું પેપર 
👉ચાર જનરલ સ્ટડી ના પેપર 
👉 બે optional‌‌ ના પેપર 
(   જે તમારે નક્કી કરવા નો હોય છે . જે વિષય રાખવો હોય તે . ભાષા પણ રાખી શકાય . UPSC એ નક્કી કરેલા વિષય માંથી જ )

👆આ સાત પેપર ૨૫૦ માર્કના હોય છે .

👉 ૩ મહિના પછી તેનું રીઝલ્ટ આવે છે જો તમે પાસ થાવ તો તમારું ઇન્ટરવ્યૂ થાય ( જે માટે દિલ્હી જવું પડે ) 

🎯ઇન્ટરવ્યૂ

👉 ઇન્ટરવ્યૂ  કુલ ૨૭૫ માર્ક નું હોય છે. 

👉 ઇન્ટરવ્યૂ માં તમારા સ્નાતક ના મુખ્ય વિષય , દેશ ની સમસ્યા અને તેના નિવારણ , આંતર રાષ્ટ્રીય સબંધ , તમે જે જિલ્લા કે તાલુકા માંથી આવો છે તેના વિશે એટલે કે તેમાં શું પ્રખ્યાત છે ?  તેનો ઈતિહાસ શું છે વગેરે ,  ધર્મ આધારિત સવાલ પુછાઇ શકે છે. 

(  UPSC પાસ કરેલા અધિકારીઓ નું કહેવું છે કે તે તમે ભરેલા એપ્લિકેશન ફોર્મ ઉપર થી જ સવાલ કરતા હોય છે . )
  

👉👉👉 કુલ ૨૦૨૫ માર્ક માંથી  ઉમેદવાર ને માર્ક મળતા હોય છે . 

👉 પછી UPSC તેમની કેડર નક્કી કરતી હોય છે કે તમને કઈ સર્વિસ આપવી .

👉 જો તમારા માર્ક સારા હોય તો તમને મનપસંદ કેડર મળે છે .

🎯UPSC ની તૈયારી ક્યાંથી શરૂ કરવી ? 👇

UPSC ની તૈયારી ની શરૂઆત ncert થી કરવી જોઈએ  જેથી કરીને તમારું બેઝિક નોલેજ ક્લીયર થાય .

 🎯હિસ્ટ્રી માટે 👇

👉ધો . ૬ થી ૧૨ ની ncert 
 👉પ્રાચીન ભારતનો ઇતિહાસ
👉મધ્ય ભારત નો ઇતિહાસ 
👉આધુનિક ભારતનો ઇતિહાસ વાંચવો .
👉 ભારત એક ખોજ જેવા એપિસોડ જોઈ શકો . 

🎯 ભૂગોળ માટે 👇 

👉ધો .૬ થી ૧૨ નું ncert વાંચવી .
 👉કરંટ અફેર્સ વાંચવું 
👉 ભૂગોળ ની કોઈ સારી બુક વાંચવી 

🎯 અર્થશાસ્ત્ર માટે 👇

👉 ૬ થી ૧૨ ની ncert 
👉 રમેશ સિંઘ ની ઇકોનોમિક્સ ની બુક વાંચવી 
👉 કરંટ અફેર્સ વાંચવું 
👉 યુટ્યુબ પર ના  મૃણાલ પટેલ ના લેક્ચર જોવા .

🎯પોલિટી માટે 👇

👉ધો ૬ થી ૧૨ ની ncert
👉 એમ.લક્ષ્મીકાંત ની પોલિટી ની બુક 
👉 કરંટ અફેર્સ 

🎯સમાજશાસ્ત્ર માટે 👇

👉ધો. ૬ થી ૧૨ ની ncert 
👉 સમાશાસ્ત્ર ની કોઈ સારી બુક વાંચવી ( તમને જે સરળ ભાષા માં સમજાય તે )
👉 Ucg ચેનલ પર મહપ્તરા સર ના લેક્ચર જોઈ શકો છો યુટ્યુબ પર

🎯વિજ્ઞાન માટે 👇

👉 ધો .૬ થી ૧૦ ની ncert ( ૧૧ ,૧૨  સાયન્સના પુસ્તક વાંચવાની જરૂર નથી છતાં તમારી પાસે સમય હોય તો વાંચી શકો છો. )
👉 કરંટ અફેર્સ 

🎯 ગણિત માટે👇

👉ધો. ૬ થી ૧૦ ની ncert 
    ( ગણિત નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ  . ખાલી દસમાં સુધીનું )

🎯અંગ્રેજી માટે 👇

👉 અંગ્રેજી માં દશ માં સુધી નું ગ્રામર નું નોલેજ જોઈએ . UPSC માં અંગ્રેજી નું ૩૦૦ માર્ક નું પેપર આવે છે મેઈન એક્ઝામ માં ૩૦૦ માંથી ૨૫ ટકા માર્ક પાસ થવા જરૂરી છે એટલે ૩૦૦ માંથી ૭૫ માર્ક .  આ માર્ક ફાઈનલ એક્ઝામ માં ગણાતા નથી .

🎯Optional subject માટે 👇
 👉  Optional ના બે પેપર હોય છે .
👉  ઘણા બધા optional છે હું તમને ગુજરાતી ભાષા ના optional વિશે કહું .

👉 ગુજરાતી ભાષા નો ઇતિહાસ 
👉 ગદ્ય અને પદ્ય બન્ને 
👉  રઘુવીર ચૌધરી ની નવલકથા અમૃતા વાંચવી .
👉 પાટણની પ્રભુતા , સૌરાષ્ટ્રની રસધાર વગેરે  .

🎯🎯🎯🎯🎯🎯🎯🎯

👉 રાજ્યસભા ટીવી જોવી .
👉 દરરોજ ન્યુઝ પેપર વાંચવું ( ધ હિન્દુ અથવા ઇન્ડિયન એક્સપ્રેસ કે બીજું કોઈ ન્યુઝ પેપર ) 
👉 મહિના નું કરંટ મેગેઝીન વાંચવું 
👉 જે તમે વાંચો તેની નોટ બનાવી જેથી કરીને એક્ઝામ ના નજીક માં તમે તેનું રીવીઝન કરી શકો .
👉 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની બધી યોજના જાણવી .
👉 ભારત ના આંતર રાષ્ટ્રીય સબંધ કેવા છે તે જાણવા, તેમની વચ્ચે કઈ ડીલ થઈ છે  તે બધું જ જાણવું જરુરી છે .
👉 ભારત ની મુખ્ય સમસ્યા  કઈ છે ? તમે તે સમસ્યા ને કેવી રીતે દૂર કરશો.

🎯🎯🎯🎯🎯🎯🎯

🎯કોણ UPSC નું ફોર્મ ભરી શકે ?

👉UPSC નું ફોર્મ ભરવા માટે તમારી ઉંમર ૨૧ વર્ષ ની હોવી જરૂરી છે .

👉 તમારું સ્નાતક પૂરું થવું જોઈએ .(  લાસ્ટ સેમ માં હોય તો તમે ફોર્મ ભરી શકો પણ જો તમારું ઇન્ટરવ્યૂ  આવે તો તમારે સ્નાતક ના માર્ક લખવાના હોય છે . જો ત્યાં સુધી માર્કશીટ મળી જાય તો ફોર્મ ભરી શકાય.)

👉 કોઈ પણ વિષય મા સ્નાતક થયેલા વિધાર્થી ફોર્મ ભરી શકે .

🎯🎯🎯🎯🎯🎯🎯🎯

👉👉લોકો એવું માનતા હોય છે કે UPSC ની એક્ઝામ તો સ્કુલ અને કોલેજ નો ટોપર જ પાસ કરી શકે . આપડું કામ નથી તો 👇

👉 જૂનાગઢ ના હાલના કમિશ્નર ના દસમાં માં અંગ્રેજી ,ગણિત અને વિજ્ઞાન માં તો ૩૫ માર્ક મળ્યા હતા . ૧૧ , આર્ટસ કર્યું. ૧૨ ધોરણ માં નેઠ પાસ થયા હતા . છતાં તે ક્લેક્ટર બન્યા . નામ છે  તુષાર સુમેરા .

👉 UPSC   ૨૦૧૭ ના ઓલ ઈંડિયા માં ૩ રેન્ક મેળવ્યો તે જુનેદ અહમદ પણ એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે. 

👉 ૨૦૧૭ માં UPSC પાસ કરનાર આશિષ કુમાર પણ એક એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે . તેમના ૧૦ માં ૫૨ અને ૧૨ ના ૫૫ ટકા હતા . સ્નાતક માં પણ ૫૫ ટકા હતા . છતાં તેમને UPSC પાસ કરી .  તે કુલ ૮ વખત UPSC માં ફેલ થયા હતા નવ માં ટ્રાયલ માં તે સફળ રહ્યા .

👉   મનોજ કુમાર શર્મા  ૧૨ ધોરણ માં ફેલ થયા હતા છતાં તે UPSC માં સફળ રહ્યા અને આઈપીએસ થયા . હાલ માં તે એસીપી છે .

👆  આવા તો ઘણા બધા ઉદાહરણ છે  . 

🎯🎯🎯🎯🎯🎯🎯

એક UPSC પાસ કરેલો વ્યક્તિ કે તેની તૈયારી કરતો વ્યક્તિ  ક્યાં સુધી પહોંચી શકે 👇

👉 અરવિંદ કેજરીવાલ એ UPSC પાસ કરેલી છે .તે દિલ્હી માં ઇન્કમટેક્સ કમિશ્નર હતા . હાલ માં તે દિલ્હી ના મુખ્યમંત્રી છે .

👉 ભારત સરકાર ના વિદેશ મંત્રી એસ . જયશંકર એ UPSC પાસ કરેલી છે . એસ. જયશંકર આઈ .એફ .એસ ઓફિસર હતા .

👉 ભારત સરકાર ના પૂર્વ  નાણાં મંત્રી યશવંત સિન્હા  એ UPSC પાસ કરેલી છે .  યશવંત સિન્હા ક્લેક્ટર હતા .

👉 ભારત ના રાષ્ટ્પતિ સિવિલ સર્વિસ અધિકારી રહી ગયા છે

👉 ઉત્તર પ્રદેશ ના  ચાર વખત મુખ્યમંત્રી રહેલા , લોકસભાના સાંસદ રહેલા , રાજ્યસભા ના સાંસદ રહેલા માયાવતી જી એ  પણ UPSC ની તૈયારી કરેલી છે .

🚨 સરકાર તો આવે ને જાય પણ દેશ ના અધિકારી ઓ દેશ ચલાવતા હોય છે .🚨

જો તમે પણ IAS , IPS કે બીજા કોઈ અધિકારી બની ને દેશ અને દેશ ના લોકો માટે કામ કરવા માગતા હોય તો તૈયાર થઈ જાવ .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...